Tuesday, July 10, 2012


દોસ્તો,
તા. 10-7-12ના ‘ગુજરાતમિત્ર’માં ‘ફરારી કી સવારી’ ફિલ્મ વિશે પ્રગટ થયેલો લેખ. વાંચો, વિચારો ને અભિપ્રાય આપો.
‘ફરારી કી સવારી’ કરવા માટે જોઈએ ભરપૂર આત્મવિશ્વાસ, અથાગ પરિશ્રમ, સત્યપ્રિયતા અને કુટુંબમાં પરસ્પર માટેની વિધાયક લાગણી...
જનક નાયક
સાહિત્ય સંગમ, સુરત (ગુજરાત) (મો.) 98251 12481
http://www.scribd.com/doc/99694649/Farari-ki-Savari-vishe-Positive-Thinking 

Monday, December 12, 2011


સંવેદનના સપ્ટેમ્બર-૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?

એક મિનિટ : રઘુવીર ચૌધરી, વ્યક્તિચિત્ર : આત્મપ્રીતિને આધારે બોલતા, લખતા, જીવતા રમેશભાઈ ! (ઓઝા)- જયદેવ શુક્લ, નિબંધ : ફૂલમાળા અને સમુદ્રમંથન – પ્રવીણ દરજી, આસ્વાદ : પતિપ્રેમની પતાકા ફરકાવતી યોગેશ જોશીની વાર્તા બારમું – ઈલા નાયક, ‘કબાટમાંથી’ કમ્પ્યુટરમાં ફીડ કરેલો ચેતનાનો ડેટા – સતીશ ડણાક, પુસ્તકપરિચય : હાસ્યના ચંદરવા નીચે – પ્રભાકર ધોળકિયાની વિશિષ્ટ હઝલો – દિલીપ મોદી, રેખાબેન શાહનો બાલવાર્તાસંગ્રહ : અમરતદાદીનું કબૂતર- યામિની ગૌરાંગ વ્યાસ, ક કવિતાનો ક : બે ગઝલ : ડૉ. એસ. એસ. રાહી, શોધયાત્રા – ઇન્દુ પુવાર, સાંજના સમયે – નાનુભાઈ નાયક, હાસ્ય : પારાયણ ‘અટકોની’ –યુસુફમીર, સંસ્મરણો : મારી બા [૩] –રવીન્દ્ર પારેખ, મનોવિજ્ઞાન : રોજબરોજની જિંદગીમાં અનુભવતા કેટલાક ફોબિઆ, જે આપણને જીવનના આનંદથી વંચિત રાખી પરેશાન કરે છે – જનક નાયક, માહિતી : કેતન મુનશી વાર્તાસ્પર્ધા -૩ વિષે માહિતી  

http://www.scribd.com/doc/75473219

Sunday, October 30, 2011

સંવેદન ઑગસ્‍ટ-૨૦૧૧


સંવેદનના ઑગસ્‍ટ-૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?
૧. એક મિનિટ, ૨. વ્યક્તિચિત્રઃ નાનુમાંથી નાનિયો, પછી નાનુભાઈને પછી મામા, પછી બાપા ને આજે નગરબાપા સુધી પહોંચનાર શ્રી નાનુભાઈ નાયક-જનક નાયક, વિભા દેસાઈ અને રાસબિહારી દેસાઈ-માવજી કે. સાવલા, ૩. વિવેચનઃ ઉશનસનાં સૉનેટો-રવીન્દ્ર પારેખ, ૪. વાર્તાઆસ્‍વાદ : મૃતાત્‍માના ભ્રમનિરસનને ધ્‍વનિત કરતી વાર્તા દીકરા-ઙૉ. બિપિ‍ન આશર,  ૫. નવલથાઃ  શોધ - પ્રકરણ - ૭ ધ્‍વનિલ પારેખ, ૬. ક કવિતાનો કઃ બે ગઝલ – સાહિલ, નિરર્થક્તા - નાનુભાઈ નાયક, ૭. પુસ્‍તક પરિચયઃ સત્ત્વશીલ કવિત્ત્વઃ તત્ત્વ ૧૧૧-ડૉ. પ્રદીપ રાવલ સુમિરન, ૮. હાસ્‍યઃ મણિયો બોઈલર-મંજુલા ગાડિત, ૯. સાહત્‍ય સમાચાર, ૧૦. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-૩ વિશે માહિતી

http://www.scribd.com/fullscreen/70879856?access_key=key-sss7vh8pd94fvrh9zzt

Friday, August 19, 2011

સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ
 
જનક નાયક્નું વક્તવ્ય
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે જનક નાયક્નું વક્તવ્ય. આપને ગમશે.

Jivan Sathe Maitri Lokarpan Bhagvatukumar Sharma Vaktvya 13-8-11
શ્રી ભગવતીકુમાર શર્માનું વક્તવ્ય
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે શ્રી ભગવતીકુમાર શર્માનું વક્તવ્ય. આપને ગમશે.

Jivan Sathe Maitri Lokarpan Shashikant Shah Vaktvya 13-8-11
શ્રી શશીકાંત શાહનું વક્તવ્ય
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે શ્રી શશીકાંત શાહનું વક્તવ્ય. આપને ગમશે.

Jivan Sathe Maitri Lokarpan Naresh Kapadiaa Pustak Parichay 13-8-11
શ્રી નરેશ કાપડીઆ દ્વારા પુસ્તકનો પરિચય
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે શ્રી નરેશ કાપડીઆએ પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. આપને ગમશે.

Jivan Sathe Maitri Lokarpan Mahendra Joshi Lekhak Parichay 13-8-11
શ્રી મહેન્દ્ર જોશીએ લેખકનો પરિચય
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે શ્રી મહેન્દ્ર જોશીએ લેખકનો પરિચય કરાવ્યો હતો. આપને ગમશે.
  

Jivan Sathe Maitri Lokarpan Jindgi Ek Safar Janak Naik 13-8-11
શ્રી જનક નાયક અને હેમાંગ દેસાઈએ અંદાઝ ફિલ્મનું જીંદગી એક સફર હૈ સુહાના ગીત
સર્જક શ્રી જનક નાયકના 58મા જન્મદિવસે એમના પુસ્તક 'જીવન સાથે મૈત્રી'નું લોકાર્પણ સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં થયું હતું. સાથે કરાઓકે ટ્રેક પર જીવનલક્ષી ગીતો ગાયાં હતાં. એ પ્રસંગે શ્રી જનક નાયક અને હેમાંગ દેસાઈએ અંદાઝ ફિલ્મનું જીંદગી એક સફર હૈ સુહાના ગીત ગાયું હતું. આપને ગમશે.

Tuesday, August 9, 2011


સંવેદન જુલાઈ-૨૦૧૧
૧. એક મિનિટ ૨. વ્યક્તિચિત્ર : શોકથી શ્લોકત્વ સુધીની આનંદમય યાત્રા કરનાર શ્રી ભગવતીકુમાર શર્મા એટલે સાહિત્‍યાકાશનું ઉત્તુંગ શિખર...જનક નાયક ૩. સંસ્‍મરણોઃ મારી બા - રવીન્દ્ર પારેખ ૪. નવલિકાઃ અરથી વિચ્છેદન - બહાદુરભાઈ વાંક ૫. ક કવિતાનો કઃ બે ગઝલ- બે હઝલ - દિલીપ મોદી, બે ગીત - પ્રફુલ્‍લ પંડ્યા, સૂરજને મેલેરિયા – નાનુભાઈ નાયક ૬. નવલકથાઃ શોધ - પ્રકરણ - ૬ ધ્વનિલ પારેખ ૭. સંગીતઃ વર્ષા ઋતુના રાગો અને રોગો - ડૉ. પ્રફુલ્‍લ દેસાઈ ૮. પ્રતિભાવ ૯. નવાં પુસ્‍તકોઃ અવઢવ એ લાગણીના સંબંધોમાં ક્યારેક પ્રગટતી વિશ્વાસની કટોકટીની કથા છે- ડૉ. પ્રફુલ્‍લ દેસાઈ ૧૦. સાહિત્‍ય સમાચાર ૧૧. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-૪ વિશે માહિતી

Friday, August 5, 2011

જનક નાયકની નવી નવલકથા 'અવઢવ'નુ લોકાર્પણ


ગોવાની પાશ્વભૂમાં લખાયેલી શ્રી જનક નાયકની અવઢવ નવલકથા ભાવકને અવશ્ય ગમશે

સુરતઃ સાહિત્‍ય સંગમના ઉપક્રમે શ્રી જનક નાયકની નવલકથા અવઢવનું લોકાર્પણ કરતાં શ્રી ભગવતીકુમાર શર્માએ પ્રમુખસ્‍થાનેથી જણાવ્યું હતું કે, અવઢવ એ જનક નાયકની પ્રયોગાત્‍મક રચના છે. શરૂઆતમાં ધીમા વેગથી ચાલતી આ નવલકથા આગળ જતાં સમુચિત રીતે વેગ પકડે છે. નવલકથાના ત્રણેય પાત્રો એકમેકને સુખી જોવા ઇચ્‍છતા હોવા છતાં આ ત્રણેયને આંતરિક વ્‍યક્તિત્વ છે, સ્‍વત્વ છે. પરિણામે એકમેકને સમજી ન શકવાનો  સંઘર્ષ અહીં દેખાય છે, જે નવલકથાનો આસ્‍વદ્યાત્‍મક મહત્વનો અંશ છે. તેમણે આગળ કહ્યું કે, ગોવાના લોકાલનો જનકે પૂરેપૂરો કસ કાઢ્યો છે, પણ સાથે અવઢવ ગોવાની ગાઈડ પણ ન બની જાય એની પૂરેપૂરી સાવધાની રાખી છે. ગોવાના સ્‍થળવિશેષોનો જનકે પ્રતિકાત્‍મક રીતે બહુ સરસ અને ઉપકારક નીવડે એ રીતે વિનિયોગ કર્યો છે. સૌથી વધુ પ્રશંસનીય પાસું છે નવલકથાનો અંત. આંખોમાં હજારો તારાઓ ઝલમલાતા હતા એ વાક્ય સાથે કથાનો અંત આવે છે, જ્યાં જનક ખરેખરા કલાકાર તરીકે પ્રગટ થયો છે. કલાત્‍મક વાર્તા લખવામાં પ્રગતિ કરી રહેલા જનકનો આ નવલકથામાં પરિચય મળે છે, પ્રતિકો સાથે કામ લેવાની શક્તિનો પણ પરિચય મળે છે. અને મનોવિજ્ઞાનના જાણકાર તરીકેનો પણ પરિચય મળે છે. આ બધાને પરિણામે નવલકથાના વાચકને એવી અવઢવમાં તો ન જ મૂકે કે અમે ખોટી નવલકથા પસંદ કરી છે. શ્રી અશ્વિન દેસાઇએ જણાવ્યું હતું કે, અવઢવ એ આધુનિક ઉપલા મધ્યમ વર્ગની ઘસાતી જતી, ક્ષીણ બની રહેલી દશા વર્ણવે છે. શ્રી નાનુભાઇ નાયકે ઉત્તમ સાહિત્‍યકારે સમાજને, લોકોને, વ્‍યવસ્‍થાને સમજવી પડે એવું જણાવી કહ્યું કે, જનક પ્રબળ પુરુષાર્થથી અને જનમાનસને સમજીને સર્જન કરી રહ્યો છે તેથી જ એ લોકપ્રિય છે. સાહિત્‍યસર્જનમાં ભાષા મુખ્‍ય નથી, પણ ભાવ મુખ્‍ય છે. જનકનાં પૂસ્‍તકોમાં ભાષાવૈભવ નથી, પણ ભાવવૈભવ પ્રબળ પ્રમાણમાં છે. અવઢવમાં કુટુંબની લાગણીઓ તીવ્રતાથી ઝીલાઈ છે. શ્રી રવીન્દ્ર પારેખે અવઢવ નવલકથાનો પરિચય આપતાં જણાવ્યું કે, ગોવાના પ્રવાસની સમાંતરે નવલકથામાં વૈચારિક પ્રવાસ ચાલે છે. નવલકથાનાં ત્રણેય પાત્રો કાપતાં કપાંતાં ચાલે છે. ત્રણેય પાત્રો એકમેકને બહુ પ્રેમ કરે છે એવું માને છે. પણ વર્તનમાં તો એકમેકને લગભગ પિડતા જ રહે છે. નવલકથાનો અંત લેખકે ખુલ્‍લો રાખ્યો છે, એથી નવલકથાને એક નવું પરિમાણ મળ્યું છે. સંવાદોમાં વ્‍યંજનાપૂર્ણ અભિવ્‍યક્તિ કથાનું જમાપાસું છે. નવલકથાના અંતમાં બીચ પરની એક ઘટનાનો લેખકે નાયક સ્‍પંદનનું માનસ બદલવા સૂચક ઉપયોગ કર્યો છે. કોઈક બીજાની જિંદગીનો ઉકેલ નવલકથાનો ઉકેલ બની જાય એમાં સર્જકનો મનોવ્‍યાપાર પમાય છે. જનક નાયકે આ નવલકથા દ્વારા પોતાનો ચીલો પાડવાની કોશિશ કરી છે. તેમણે આગળ જણાવ્યું કે, સમજવાની, આભાર માનવાની વાતો, વિચારોના પ્રવાહને લીધે નવલકથાનું કદ નાનું છે છતાં પ્રસ્‍તારી લાગે છે. ખોટા શબ્‍દપ્રયોગો પણ ક્યાંક દેખાય. છતાં ગોવાના બીચનાં કે દરિયાના કે ચર્ચનાં વર્ણનોમાં લેખકે ઝીણું કાંત્‍યું છે. પાત્રો આઉટ ઑફ ફોકસ થઈ જતાં હશે, પણ નવલકથાનો મુખ્‍ય તંતુ તૂટતો નથી. એ લેખકનું જમાપાસું છે. કન્‍ફેશન બોક્સ લાવીને લેખકે ગોવાનો ઉપયોગ પ્રવાસ ઉપરાંત પ્રતીક તરીકે પણ કર્યો છે. નવલકથામાં વર્ણનો સ્‍થળસૂચક જ નહિ, પણ પાત્રોની મનઃસ્થિતિ પણ વ્‍યક્ત કરે છે. અવઢવ દ્વારા જનક નાયક એક ડગલું આગળ વધ્યો છે એ ચોક્કસ. શ્રી જનક નાયકે પ્રતિભાવમાં જણાવ્યું કે, અવઢવ દેખાય છે એવી સરળ નવલકથા નથી. એમાં અનેક સંકેતો-પ્રતિકો છે, જે નવલકથાના સમજદારીપૂર્વકના બે-ત્રણ વાચન પછી ઊઘડે. તરસ નવલકથા ભાવકોને કેન્‍દ્રમાં રાખીને લખાઈ હતી, પણ અવઢવ ભાવકોની સાથે વિવેચકોનેય કેન્‍દ્રમાં રાખીને લખાઈ છે. નવલકથાની પ્રસ્‍તાવના લખનાર શ્રી પ્રફુલ્‍લ દેસાઇએ લેખકનો પરિચય આપ્યો હતો. સર્વશ્રી નરેશ કાપડીઆ, યામિની વ્‍યાસ, દિલીપ ઘાસવાલા અને ઋચા કાપડીઆએ નવલકથાના અંશોનું પઠન કર્યું હતું.

Tuesday, June 21, 2011

Samvedan June-2011


સંવેદન : જૂન-2011ના અંકમાં શું વાંચશો ?
૧. એક મિનિટ : ફાધર વાલેસ ૨. વ્યક્તિચિત્ર : ધર્મને અંધશ્રદ્ધાથી નહિ, પણ પ્રખર શ્રદ્ધાથી સમજનારા રૅશનાલિસ્‍ટ ડૉ. નરેશ ભટ્ટની જીવનફિલસૂફી ચાલો, આપણે જાણીએ...-જનક નાયક . નવલિકાઃ કેતન મુનશી વાર્તાસ્‍પર્ધામાં પ્રથમ આવેલી વાર્તા મા- ગિરીશ ભટ્ટ ૪. આસ્‍વાદઃ વ્‍યંઢળોની જિંદગીના નોખા વિષય પર લખાયેલી સંવેદનની અલગ પરિભાષા આલેખતી શ્રી ગિરીશ ભટ્ટની, કેતન મુનશી પારિતોષ્કિ વિજેતા વાર્તા મા-જનક નાયક ૫. એકાંકી - નિયતિકૃત નિયમરહિતા- નવલિકા : સરોજ પાઠક- નાટ્યરૂપઃ યામિની વ્‍યાસ ૬. ક કવિતાનો કઃ ગમાર માણસની ગીતા - નાનુભાઇ નાયક, બે કાવ્‍યો- મંગળ રાઠોડ ૭. સંગીત : ગ્રીષ્‍મ ઋતુના રોગો અને રાગો- ડૉ. પ્રફુલ્‍લ દેસાઇ ૮. નવલકથાઃ શોધ - પ્રકરણ-૫ - ધ્વનિલ પારેખ ૯. લઘુકથાઃ નાની અમસ્‍તી ફરજ- પ્રો. એન. એચ. કોરિન્‍ગા કોનાહ ૧૦. સાહિત્‍ય સમાચાર ૧૧. માહિતીઃ  કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-૩ વિશે માહિતી 

http://www.scribd.com/fullscreen/58357744?access_key=key-1hb4jlubl2j8ektr12d